એનસીપીના વધુ એક નેતા થશે જેલભેગાઃ ખળભળાટ
મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. ભાજપાના નેતા મોહિત કંબોજે દાવો કર્યો છે કે એનસીપીની વધુ એક નેતા ટુંક સમયમાં ઝડપાશે. અત્યારે એનસીપીના નવાબ મલીક અને અનિલ દેશમુખ જેલમાં છે. હવે મોહિત કંબોજના આ ટવીટથી હલચલ મચી ગઇ છે. અનુમાન કરાઇ રહ્યા છે કે કયા નેતાની ધરપકડ થશે.
મોહિત કંબોજે ટવીટ કર્યુ, હર હર મહાદેવ, હવે તાંડવ થશે' તેમણે વધુ એક ટવીટ કરીને લખ્યુ કે આ ટવીટ સેવ કરી લો, બહુ જલ્દી મહારાષ્ટ્રના વધુ એક નેતા નવાબ મલીક અને દેશમુખની સાથે હશે. કંબોજે લખ્યુ, આ ટવીટને સેવ કરોઃ એનસીપીના એક મોટા નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખને બહુ જલ્દી મળશે.
મોહિતે ઘણા બધા ટવીટ કર્યા છે
૧. જલ્દી થશે પ્રેસ કોન્ફરન્સ અને બેનકાબ થશે એનસીપીના મોટા નેતા ૨.ભારત અને વિદેશમાં સંપતિની યાદી ૩.બેનામી કંપનીઓ ૪. ગર્લફ્રેન્ડના નામે સંપતિઓ ૫. વિભીન્ન વિભાગોમાં પ્રધાન તરીકે કર્યો ભ્રષ્ટાચાર ૬.પરિવારની આવક અને સંપતિની યાદી.