મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

બિહારમાં માત્ર નામના જ મુખ્યમંત્રી હશે નીતિશકુમારઃ યશવંત સિંહાએ ટવીટ કરી કહ્નાં કે જયાં સુધી નિર્જીવ ન થઇ જાય ત્યાં સુધી તેના મિત્રો અને દુશ્મનોને નિચોડતી રહે છે- નીતિશ - યશવંતસિંહા

પટણાઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહાએ કહ્નાં કે નીતિશકુમાર બિહારના માત્ર નામના જ મુખ્યમંત્રી હશે. ભાજપ તેના મિત્રો અને દુશ્મનો જયાં સુધી નિર્જીવ ન થઇ જાય ત્યાં સુધી નિચોડતી રહે છે. સિંહાએ ટવીટ કરી કહ્નાં કે નીતિશકુમાર તેનું તાજુ ઉદાહરણ છે. તેઓ મુખ્યમંત્રી હશે પણ માત્ર નામના જ.

નીતિશકુમારે એનડીએના વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કહ્નાં કે તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા ન હતા. પરંતુ સહયોગી દળના આગ્રહ પર તેઓ તૈયાર થયા. તેઓ ઇચ્છતા હતા કે ભાજપના જ કોઇ નેતા મુખ્યમંત્રી બને.

(1:23 pm IST)