મુખ્ય સમાચાર
News of Wednesday, 18th January 2023

તમારી કૃપાથી અમે અને અમારો પરિવાર હીરા ઠાકુર અને તેમના  પરિવારને સારી રીતે ઓળખી ગયા છીએ: હવે પ્રસારણ બંધ કરો

વારંવાર સૂર્યવંશમ ફિલ્મથી કંટાળીને સેટ મેક્સને લેટર લખ્યો:વ્યક્તિએ પત્રમાં સવાલ પૂછ્યો કે ભવિષ્યમાં કેટલી વખત આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે?

મુંબઈ : ટીવીની સૌથી જૂની સેટ મેક્સ ચેનલ પોતાની એક ફિલ્મને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે અને આ ફિલ્મનું નામ છે ‘સૂર્યવંશમ’. અવાર નવાર કૉમેડી શો પર પણ આ ચેનલ પર પ્રસારિત થતી એક જ રેગ્યુલર ફિલ્મને વારંવાર ચલાવવા પર મજાક પણ ઉડાવવામાં આવે છે પરંતુ આ વખતે એક વ્યક્તિએ સેટ મેક્સ પર વારંવાર સૂર્યવંશમ ફિલ્મથી કંટાળીને સેટ મેક્સને લેટર લખ્યો છે. વ્યક્તિએ પત્રમાં સવાલ પૂછ્યો કે ભવિષ્યમાં કેટલી વખત આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે? વ્યક્તિએ ખુદને ‘સૂર્યવંશમ પીડિત’ ગણાવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ડીકે પાંડેય નામના વ્યક્તિએ પત્રમાં લખ્યુ કે ‘તમારી કૃપાથી અમે અને અમારો પરિવાર હીરા ઠાકુર અને તેમનો પરિવાર (રાધા, ગૌરી અને અન્ય)ને સારી રીતે ઓળખી ગયા છીએ. અમને સૂર્યવંશમ નામની એકસ્ટ્રા ઇનિંગ જોઇ જોઇને કંઠસ્થ થઇ ગઇ છે. હું તમારી ચેનલ પાસે આ જાણવા માંગુ છું કે તમારી ચેનલ અત્યાર સુધી કેટલી વખત આ ફિલ્મનું પ્રસારણ કરી ચુકી છે? ભવિષ્યમાં કેટલી વખત આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે? જો અમારી માનસિક સ્થિતિ પર તેની વિપરિત અસર થાય છે તો તેનો જવાબદાર કોણ હશે? કૃપયા સૂચના આપવાનું કષ્ટ કરો.’

મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા પત્રને લઇને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ, ‘અંગ્રેજ જાણતા હતા કે આગળ ચાલીને સૂર્યવંશમ નામની ફિલ્મ બનાવીને સેટ મેક્સ પર વારંવાર બતાવવામાં આવશે, માટે તે પહેલા જ જતા રહ્યા’. આ રીતે કેટલાક લોકોએ આ લેટર પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

(7:05 pm IST)