મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

સારણગાંઠનો દુઃખાવો સહન ન થતા યુવક જાતે જ ચાકુથી પેટ ચીરી નાખ્યુ

વારંવાર ડોકટરોની ઓપરેશનની ના થી કંટાળી

ભીલવાડા તા. ૧૮ : રાજસ્થાનમાં ડોકટરોની અસંવેદનશીલતાનો એક મામલો સામે આવતા ચકચાર મચી છે. બે જીલ્લાના ડોકટરોની ટાલમટોલમાં પરેશાન હાર્નીયા પીડીત યુવકે પોતેજ ચાકુથી પોતાનું પેટ ચીરી લીધુ હતું યુવકને સોમવારે ભીલવાડા મહાત્મા ગાંધી હોસ્પીટલ લાવવામાં આવેલ.

ભીલવાડા જીલ્લાના એક ગામના ૩પ વર્ષનો યુવક એક વર્ષથી સારણગાંઠની પીડા સહન કરતો હતો દરમિયાન તેણે ભીલવાડા અને ઉદયપુરની ઘણી હોસ્પીટલોમાં ડોકટરોને દેખાડેલ માનવામં આવી રહ્યું છે કે એચઆઇવી અને ટીબીજ જેવી બીમારીઓના કારણે ડોકટરો તેનું ઓપરેશન ટાળતા રહેલ. યુવકને અનફીટ સહીતના કારણો આપી પાછો મોકલતા.

જયારે યુવકને દુઃખાવો હદ બહાર થયો ત્યારે તેણે ઘર ઉપર ચાકુથી પેટ ચીરી લીધું પરિજનો તેને લોહીલુહાણ હાલતમાં સોમવારે એમજીએચ લાવે જયાં બીજે દીવસે સર્જરી વિભાગમાં ડો. બંસલે હાર્નીયાનું ઓપરેશન કરેલ હાલ યુવકની સ્થિતી સ્થિર છે. ડોકટરોએ જણાવેલ કે યુવકનું આંતરડુ ફાટી ગયેલ અને તે એચઆઇવી અને ટીબી પીડીત છે. ડોકરોએ પીપીઇ કીટ પહેરી ઓપરેશન કરેલ.

(3:19 pm IST)