મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

હોસ્પિટલમાંથી રજા મળતા આસારામ ફરી જોધપુર જેલમાં : પોલીસે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવી આસારામને ફરીથી જેલમાં લાવવાની કવાયત પૂરી કરી

જોધપુર : જોધપુરની જેલમાં બંધ આસારામની તબિયત ખરાબ થયાં પછી તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તબિયત સ્થિર થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી જેવી રજા મળી કે તરત જ આસારામને લઈને પોલીસ જોધપુર જેલમાં પહોંચી હતી. આસારામે હૃદયમાં દુખાવાની અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી પછી તેને સારવાર આપવામાં આવી હતી. બધા જ રીપોર્ટ્સ થયા પછી આખરે તેની તબિયત સુધારા પર હતી.

આસારામના સમર્થકો હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા, એ બધા વચ્ચે પોલીસે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવી હતી અને આસારામને ફરીથી જેલમાં લાવવાની કવાયત પૂરી થઈ હતી

(1:00 am IST)