મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

કોંગ્રેસના યુવા નેતા રાજીવ સાતવનો જીવ લેનારો સાયટોમેગલો વાઇરસ છે શું ?

આ વાઇરસ મોટી સંખ્યામાં લોકોના શરીરમાં હોય છે, પણ કોરોના જેવી બીમારીથી દર્દીની ઇમ્યુનિટી નબળી પડે ત્યારે એ એકિટવ થઇને મગજ, ફેફસા કે આંખને ગંભીર નુકસાન પહોંચાડે છે

નવી દિલ્હી તા. ૧૮ : તાજેતરમાં સંપન્ન થયેલી ૪ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજયસભાની ૪ બેઠકો ખાલી થઈ ગઈ છે. આ તમામ બેઠકો પર ૪ સાંસદ વિધાનસભા થકી રાજયસભા સુધી પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક સભ્યો પોત-પોતાના રાજયોમાં મંત્રી તરીકે પણ કામ કરશે.૨૦૧૭માં રાજયસભા માટે ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડો માનસ ભૂઈયાએ વિધાનસભા ચૂંટણી લડી હતી. જેમાં જીત મેળવીને હાલ તેઓ રાજયના વોટર રિસોર્સ ઈન્વેસ્ટિગેશન એન્ડ ડેવલોપમેન્ટ મિનિસ્ટર છે.

આજ પ્રકારે એઆઇડીએમકેના કે આર વૈથિલિંગમ, જે ૨૦૨૨માં રાજયસભાથી નિવૃત થવાના હતા, તેમણે ઓરથાનાડુ વિધાનસભા વિસ્તારમાંથી જીત્યા બાદ સાંસદ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેઓ તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષી પાર્ટીમાં છે.તેમની પાર્ટીના સહયોગી કેપી મુનુસામીએ પણ તમિલનાડુ વિધાનસભાના સભ્ય બનવા માટે સંસદ પદેથી રાજીનામું આપી દીધુ હતુ. મુનુસામીએ વેપ્પનહલ્લી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી જીત્યાં છે. અન્ય એક રાજયસભા સાંસદ, અસમથી વિશ્વજીત દૈમારીએ રાજયસભા સાંસદ પદ છોડ્યું છે. રાજયના કેટલાક અધિકારીઓના જણાવ્યા મુજબ, ભાજપ ધારાસભ્યના રાજયની વિધાનસભામાં આગામી અધ્યક્ષ બનવાની સંભાવના છે. આ સિવાય તારકેશ્વર બેઠક પરથી બંગાળ ચૂંટણી લડનારા સાંસદ સ્વપન દાસગુપ્તાએ પણ સંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું.

ચૂંટણી પ્રક્રિયા અનુસાર, રાજયસભામાં આ ખાલી પડેલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી થશે. જયારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદો દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠકોને સરભર કરવામાં સક્ષમ હશે. સુત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ પ્રશાંત કિશોર અને યશવંત સિન્હાને રાજયસભામાં મોકલી શકે છે.તમિલનાડુમાં એઆઇએડીએમકે સાંસદો દ્વારા ખાલી થયેલી બન્ને બેઠકો સત્તાધારી ડીએમકે ની પાસે જવાની સંભાવના છે. જયારે અસમ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની ૪ બેઠકો પર પેટાચૂંટણી થશે. ભારતના રાષ્ટ્રપતિને સ્વપન દાસગુપ્તાની બેઠક માટે એક પ્રતિષ્ઠિત વ્યકિતને નોમિનેટ કરવાના હોય છે. જો કે નિયમ મુજબ દાસગુપ્તાનું પુનઃ નોમિનેશન પણ થઈ શકે છે.

(10:28 am IST)