News of Tuesday, 18th May 2021
નરેન્દ્રભાઈ આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લાના ની સાથે દિવ સહિત વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે: અમદાવાદમાં સમીક્ષા બેઠક યોજશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત સૌરાષ્ટ્રના વિસ્તારોનું આવતીકાલે હવાઈ નિરીક્ષણ કરશે તેમ સીએમઓની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.
તેઓશ્રી આવતીકાલે બુધવારે ૧૯ મેના નવી દિલ્હીથી હવાઈમાર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના અને સાથે દિવ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
નરેન્દ્રભાઈ ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે
ત્યારબાદ વડાપ્રધાનશ્રી અમદાવાદથી નવીદિલ્હી જવા નીકળી જશે.
(9:48 pm IST)