દેશમાં કોરોનાના નવા 62.375 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 88.421 દર્દીઓ રિકવર થયા : વધુ 1590 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.83.521 થયો :એક્ટિવ કેસ ઘટીને 7.93.708 થયા : કુલ કેસની સંખ્યા 2.97.61.964 થઇ
સૌથી વધુ કેરળમાં 12.469 કેસ, મહારાષ્ટ્રમા 9830 કેસ,તામિલનાડુમાં 9118 કેસ,આંધ્રપ્રદેશમાં 6151 કેસ,કર્ણાટકમાં 5983 કેસ,આસામમાં 3477 કેસ,ઓરિસ્સામાં 3631 કેસ,પશ્ચિમ બંગાળમાં 3018 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 62.375 કેસ નોંધાયા છે. જ્યારે 88.421 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 62.375 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1590 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,83.521 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 62.375 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,97.61.964 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 7.93.708 થઇ છે છેલ્લા 24 કલાકમાં 88.421 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,85.73.021 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.469 કેસ, મહારાષ્ટ્રમા 9830 કેસ,તામિલનાડુમાં 9118 કેસ,આંધ્રપ્રદેશમાં 6151 કેસ,કર્ણાટકમાં 5983 કેસ,આસામમાં 3477 કેસ,ઓરિસ્સામાં 3631 કેસ,પશ્ચિમ બંગાળમાં 3018 કેસ નોંધાયા છે