News of Sunday, 18th October 2020
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો : CRPF નો એક જવાન ઘાયલ
આતંકવાદીઓએ CRPFની 139મી બટાલિયનના જવાનોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPF નો એક જવાન ઘાયલ થયો છે. ગ્રેનેડ હુમલામાં ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પુલવામા જિલ્લાના ત્રાલના ટાઉન એરિયામાં બની છે.
અહીં આતંકવાદીઓએ CRPFની 139મી બટાલિયનના જવાનોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરીને હુમલાખોર આતંકવાદીની શોધખોળ શરૂ કરી હતી. આ હુમલામાં ઘાયલ જવાનને પેટના નિચેના ભાગે ઇજા થઇ છે. તેને સારવાર માટે પુલવામા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
(6:25 pm IST)