સીબીઆઈ દ્વારા લાંચના અલગ-અલગ કેસમાં આર્મી અને એરફોર્સના ત્રણ અધિકારીઓની ઝડપી લેવાયા
એજન્સીએ 50,000 રૂપિયાની કથિત લાંચના કેસમાં સેનામાં હવાલદાર રેન્કના બે અધિકારીઓની ધરપકડ કરી
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ લાંચ લેવાના આરોપમાં અલગ-અલગ કેસમાં આર્મી અને એરફોર્સના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીના જણાવ્યા અનુસાર એજન્સીએ 50,000 રૂપિયાની કથિત લાંચના કેસમાં સેનામાં હવાલદાર રેન્કના બે અધિકારીઓની ધરપકડ કરી છે. પુણેના સધર્ન કમાન્ડના 2 આર્મી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ફરિયાદી આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ, પુણે દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં એમટીએસની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તેને કોલ લેટર મળ્યો હતો પરંતુ તેને 19મી નવેમ્બર 2021ના રોજ અથવા તે પહેલાં ઓર્ડનન્સ ફેક્ટરી, વર્ધા (મહારાષ્ટ્ર) પહોંચવાનું હતું
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વહેલામાં વહેલી તકે ઔપચારિકતામાં હાજરી આપવાના બહાને, આરોપીએ ફરિયાદીનો અસલ કોલ લેટર લઈ લીધો અને 2.5 લાખની લાંચ માંગી અને એડવાન્સ તરીકે 50,000 રૂપિયા લેવા સંમત થયા. એવો પણ આરોપ છે કે, ફરિયાદી દ્વારા એક આરોપીના ખાતામાં ફોન દ્વારા રૂ. 30,000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ બંને આરોપીઓ કથિત રીતે 20,000ની બાકી રકમ સ્વીકારવા આવ્યા હતા. સીબીઆઈએ આરોપી સુસાંત નાહક અને નવીનને પકડી લીધા છે અને જાળ બિછાવીને ઉક્ત રકમની માંગણી કરી હતી અને સ્વીકારી હતી.
જ્યારે પુણેમાં આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવી ત્યારે કેસ સાથે સંબંધિત શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. બંને આરોપીઓને બુધવારે સ્પેશિયલ જજ, CBI કેસ, પુણેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
અન્ય એક કેસમાં, સીબીઆઈએ ફરિયાદી પાસેથી પ્રારંભિક હપ્તા તરીકે 4000 ની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ, ભારતીય વાયુસેના, લોહેગાંવ, પુણેના સિવિલ ગેઝેટેડ ઓફિસર સૂર્યકાંત સાંગલેની ધરપકડ કરી છે. ફરિયાદના આધારે ભારતીય વાયુસેના, 2 વિંગ, લોહેગાંવ, પુણેના ઉક્ત અધિકારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓએ દેહુ રોડ, પુણે ખાતે તેમની પરસ્પર ટ્રાન્સફરની વિનંતીને ધ્યાનમાં લેવા માટે ફરિયાદી પાસેથી 50,000 ના અનુચિત લાભની માંગણી કરી હતી