મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

ગુજરાત સરકારના જૂઠાણાનો પર્દાફાશ કરતા શક્તિસિંહ ગોહિલ: સુપ્રીમમાં ગુજરાત સરકારે કહ્યું કે રાજ્યમાં લગભગ ૯૦ હજાર લોકોના કોરોનાથી મૃત્યુ થયાનો દાવો થયો છે: ૬૮ હજારથી વધુના દાવા સાચા માલૂમ પડ્યા: સરકારે માત્ર દસ હજાર મૃત્યુ થયાનું કહેલ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન શ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાતની સરકાર ઉપર  આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે આ સરકારના જુઠ્ઠાણાનો આજે પર્દાફાશ થયો છે. ગુજરાત સરકારે એવું કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી માત્ર દસ હજાર લોકોના જ મૃત્યુ થયા છે. આ સરાસર જૂઠું નીકળ્યું છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ ગુજરાત સરકારે કહ્યું છે કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૮૯૬૩૩ (૯૦ હજાર આસપાસ) લોકોના કોરોનાથી મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંથી ૬૮૭૩૦ દાવાઓ સાચા માલૂમ પડ્યા છે. ૪૨૩૪ રિજેક્ટ કરવામાં આવ્યા અને ૧૭૦૦ આવા કોરોનાથી મૃત્યુ થયાના દાવાઓ પ્રોસેસમાં છે...

(12:06 am IST)