નીતિશ કુમારની સમાધાન યાત્રાને કારણે બક્સરમાં બે ટ્રેનને 15 મિનિટ રોકવામાં આવી: ભાજપે કર્યા પ્રહાર
નીતીશકુમારના કાફલાએ દિલ્હી-હાવડા રૂટ પર બક્સરમાં ઇટાધી ગુમટીને પાર કરી ત્યારે ટ્રેનને આઉટર સિંગ્નલ પર રોકવામાં આવી હતી,
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સમાધાન યાત્રા દરમિયાન બક્સરમાં બે મુસાફર ટ્રેનને 15 મિનિટ માટે રોકવામાં આવી હતી જેને કારણે મુસાફરોએ મુશ્કેલીમાં મુકાવવુ પડ્યુ હતુ.
જનતા દળ યૂનાઇટેડ (JDU)ના નેતા નીતિશ કુમારની યાત્રા બક્સર પહોચી હતી. અહી કાફલાને રસ્તો આપવા માટે ટ્રેનને આઉટર સિગ્નલ પર રોકવામાં આવી હતી. આ ઘટનાને લઇને ભાજપે નીતિશ કુમાર પર પ્રહાર કર્યા છે.
એક રિપોર્ટ અનુસાર કાફલાએ દિલ્હી-હાવડા રૂટ પર બક્સરમાં ઇટાધી ગુમટીને પાર કરી હતી ત્યારે ટ્રેનને આઉટર સિંગ્નલ પર રોકવામાં આવી હતી, તેની પૃષ્ટી કેબિન મેન સંતોષે કરી છે.
આ ઘટનાને લઇને રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપતા કહ્યુ કે નીતિશ સમાધાન નહી વ્યવધાન યાત્રા કાઢી રહ્યા છે. 5 જાન્યુઆરીએ પશ્ચિમ ચંપારણના બેતિયાથી શરૂ થયેલા નીતિશની સમાધાન યાત્રા 29 જાન્યુઆરીએ સમાપ્ત થશે