છત્તીસગઠમાં રીક્ષા અને સ્કોર્પિયો કાર વચ્ચે ભયંકર અકસ્માત : એક જ પરિવારના 8 લોકોના કરૂણમોત :9 લોકો ગંભીર ઘાયલ
કોંડાગામ જિલ્લાના બોરગામ પાસે ગંભીર અકસ્માત :મહિલા અને બાળકો સહિત રિક્ષામાં 16 લોકો સવાર હતા: બંને વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાતા વાહનોના કૂચેકૂચા થઈ ગયા
છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. ભયંકર એટલા માટે કારણકે આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. સ્કોર્પિયો કાર અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં 8ના મોત થયા છે જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનનારા લોકો એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે
પરિવારજનો રિક્ષામાં પરત બેસીને આવી રહ્યા હતા તે સમયે ઝારખંડથી જગદલપુર જતી એક સ્કોર્પિયો કારે તેમને ટક્કર મારી. બંને વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાતા વાહનોના કૂચેકૂચા થઈ ગયા. અકસ્માતમાં ઘટના સ્થળેજ અમુક લોકોના મોત થયા હતા. જેથી સ્થાનિકોએ આ મામલે તુરંત પોલીસને જાણ કરી
આ અકસ્માત કોંડાગામ જિલ્લાના બોરગામ પાસે થયો છે. મહિલા અને બાળકો સહિત રિક્ષામાં 16 લોકો સવાર હતા. જેઓ આઠગામથી ગોડમા જઈ રહ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. જ્યારે ઘાયલોને તુરંત ફરસગામ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભર્તી કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે. કે ઓવરલોડ થયેલી રિક્ષાએ જ્યારે પોલીસને જોઈ ત્યારે રીક્ષા વાળી લીધી જેથી તે રોડની વચ્ચે આવી ત્યારે ફુલ સ્પીડમાં આવતી સ્પોર્પિયો તેને ધડાકાભેર અથડાઈ. સ્થાનિકોએ આ મામલે તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતું અકસ્માત એટલો ગંભીર હતો કે 8 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે હજુ પણ 9 લોકો ગંભીર રીતે ઘાયલ છે.