મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને ઈલેક્શન કમિશનર રાજીવ કુમારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની ગતિ વધુ તેજ બની રહી છે ત્યારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને ઇલેક્શન કમિશન રાજીવ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મુખ્ય અધિકારીઓ કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઈ ગઈ છે.

 સુનિલ અરોડાની વિદાય બાદ સુશિલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 259170 નવા કોરોના કેસ નોંધાયા છે અને 1761 લોકોના મૃત્યુ થયા છે.

(11:34 am IST)