કેન્દ્રીય મંત્રીઓ રૂપાલા, માંડવિયા, દર્શનાબેન, દેવુસિંહ અને મંુજપરાનું અભિવાદન કરતા મોહનભાઇ કુંડારિયા
રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્રી મંડળના ગુજરાતના રાજ્યસભાના બે સભ્યોને કેબીનેટ કક્ષાએ બઢતી મળતા અને લોકસભાના ૩ સભ્યોને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાએ ગઇ કાલે નવી દિલ્હી ખાતે પાંચેયની શુભેચ્છા મુલાકાત લઇ ગુલદસ્તા સાથે શુભકામના પાઠવી હતી. તેઓ ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરસોતમ રૂપાલા, આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, રાજ્ય કક્ષાના રેલ અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સંદેશ વ્યવહાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહિલા બાળ કલ્યાણમંત્રી મહેન્દ્ર મુંજપરાને અલગ અલગ મળ્યા હતા. આ મુલાકાત પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેષ ચુડાસમા અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ સાથે રહ્યા હતા. ત્રણેય સાંસદોએ મંત્રીશ્રીઓને સન્માનિત કર્યા હતા.