મુખ્ય સમાચાર
News of Saturday, 20th August 2022

દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજાર 272 નવા કેસ નોંધાયા છે અને 83 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 13 હજાર 900 દર્દીઓ આ રોગચાળામાંથી સાજા થયા છે.

મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 01 હજાર 116 થઈ ગઈ છે.

કુલ 4 કરોડ 36 લાખ 99 હજાર 434 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 289 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 4.21 ટકા થઈ ગયો છે.

ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ

 

(11:53 am IST)