મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

ફિલ્મ 'થલાઇવી' હિન્દી ભાષાનું થિયેટર નહિ મળતા કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર થિયેટરો ન ખોલવા માટે નિશાન સાધ્યું

કંગનાની ફિલ્મને તેલુગુ અને તમિલ ભાષામાં થિયેટરો મળ્યા પણ હિન્દી ભાષાનું થિયેટર મળ્યું નહીં.

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ 'થલાઇવી' 10 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અભિનેત્રીનું કામ લોકોને ખૂબ ગમ્યું. કંગનાની ફિલ્મને તેલુગુ અને તમિલ ભાષામાં થિયેટરો મળ્યા પણ હિન્દી ભાષાનું થિયેટર મળ્યું નહીં. આનાથી કંગના ખૂબ નારાજ થઈ ગઈ. પોસ્ટ શેર કરીને કંગનાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર થિયેટરો ન ખોલવા માટે નિશાન સાધ્યું છે.

(1:15 pm IST)