આમ આદમી પાર્ટીએ ગુજરાત બાદ હિમાચાલ પ્રદેશમાં ઉમેદવારોના નામ જાહેર: અનેક નામી ચહેરાને ટિકિટ
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે આપ પાર્ટીએ પંજાબ સર કર્યા બાદ આ બંને રાજ્યો પર નજર નાખી છે જ અંતર્ગત આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં આવી ગઈ છે. આપ પાર્ટીએ ગુજરાત બાદ હિમાચાલ પ્રદેશમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કાંગડા જિલ્લાના ફતેહપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ રાજન સુશાંતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ ભાજપે રાજન સુશાંતને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. રાજન સુશાંત જેપી આંદોલનમાં જોડાયા હતા અને ઈમરજન્સી દરમિયાન 8 મહિના જેલમાં રહ્યા હતા. શહીદ ભગત સિંહના વિચારોથી પ્રભાવિત થઈને રાજન સુશાંત રાજનીતિમાં આવ્યા અને 1982માં પહેલીવાર જ્વાલી વિધાનસભા મતવિસ્તારથી ધારાસભ્ય બન્યા હતા.
પાઓંટા સાહિબથી આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ મનીષ ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મનીષ ઠાકુર ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવનું પદ પણ સંભાળ્યું છે.
આમ આદમી પાર્ટીએ સુદર્શન જસ્પાને લાહૌલ-સ્ફીતિ વિધાનસભા મતવિસ્તારમાંથી તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુદર્શન 2015 થી 2020 સુધી જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરીને કોંગ્રેસ અને ભાજપને પડકાર આપવામાં સફળ રહ્યા હતા. પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત બાદ સુદર્શન જસપા 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુદર્શન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી તરીકે સેવા આપી રહ્યા છે લાહૌલ મોંઘવારીમાં ખેડૂતોમાં સુદર્શન જસ્પાની સારી પકડ છે.
કાંગડા જિલ્લાના નગરોટા વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમાકાંત ડોગરાને મેદાનમાં ઉતાર્યા છે. ઉમાકાંત ડોગરા આમ આદમી પાર્ટી ઓબીસી સેલના રાજ્ય ઉપાધ્યક્ષ છે. ઉમાકાંત ડોગરા ગ્રામ પંચાયત સરોત્રીના વડા રહી ચૂક્યા છે અને ઓલ્ડ સ્ટુડન્ટ્સ એસોસિએશન કોલેજ, બાબા બરોહના પ્રમુખ છે.