ગર્ભમાં રહેલ બાળક કરતા તેની માતાનું જીવન વધુ મહત્વનું છે : તેલંગણા હાઇકોર્ટે બળાત્કારનો ભોગ બનેલી સગીર પીડિતાને 26 સપ્તાહનો ગર્ભ પાડવાની મંજૂરી આપી
તેલંગણા : તેલંગણા હાઇકોર્ટે બળાત્કારનો ભોગ બનેલી સગીર પીડિતાને 26 સપ્તાહનો ગર્ભ પાડવાની મંજૂરી આપી છે. નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ગર્ભમાં રહેલ બાળક કરતા તેની માતાનું જીવન વધુ મહત્વનું છે .
સિંગલ જજ જસ્ટિસ બી વિજયસેન રેડ્ડીએ કહ્યું કે, સગર્ભાવસ્થા સમાપ્ત કરવા અંગે પસંદગી કરવાનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનું એક પાસુ છે, જે કાયદા હેઠળ વ્યાજબી પ્રતિબંધોને આધિન છે. જે મુજબ ભારતનું બંધારણ, જેમાં સગર્ભાવસ્થાની પસંદગી કરવાનો અને સગર્ભાવસ્થા સમાપ્ત કરવાનો મહિલાનો અધિકાર પણ સમાવિષ્ટ છે, જો સગર્ભાવસ્થા બળાત્કાર અથવા જાતીય શોષણ અથવા તે બાબત માટે બિનઆયોજિત સગર્ભાવસ્થાને કારણે થાય છે, જે કાયદા હેઠળ વાજબી પ્રતિબંધોને આધિન છે.
નામદાર કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં જો અરજદારને તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની પરવાનગી ન હોય, તો તેના ઉપર ગંભીર શારીરિક અને માનસિક તણાવમાંથી પસાર થવાની દરેક શક્યતા છે, જે તેના ભવિષ્યના સ્વાસ્થ્ય અને સંભાવનાઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
2021 માં સુધારેલા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ 1971 (એમટીપી એક્ટ) ની જોગવાઈઓ અનુસાર સગર્ભાવસ્થાની સમાપ્તિની તબીબી પરવાનગી મેળવવા 16 વર્ષની સગીર પીડિતા દ્વારા તેના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.
ત્યારબાદ, કોર્ટે નોંધ્યું કે 24 સપ્તાહથી વધુ સમયની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે એમટીપી (સુધારો) અધિનિયમ 2021 હેઠળ પ્રતિબંધ હોવા છતાં, તે કાયદેસર છે કે બંધારણીય અદાલતો ગર્ભને 24 અઠવાડિયાથી વધુ હોય તો પણ ગર્ભાવસ્થાને સીધી સમાપ્ત કરવાની સત્તા આપે છે. ગર્ભપાત કરવામાં ન આવે તો પીડિતાની જિંદગી ઉપર જોખમ રહેલું છે તે બાબત ધ્યાને લઇ નામદાર કોર્ટે મંજૂરી આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.