મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવાર રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ : બીજો આદેશ ના થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે : પ્રેસ કોન્ફ્રન્સમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત

અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવાર રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે અને બીજો આદેશ ના થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે તેવી  પ્રેસ કોન્ફ્રન્સમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલએ જાહેરાત કરી છે

રાજ્ય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં  વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય. લેવાયો છે
 
સુરત વડોદરા અને રાજકોટ માં  પણ આવતી કાલ શનિવાર 21 નવેમ્બર થી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ  નો અમલ કરાશે.. આ રાત્રિ કરફ્યુ અન્ય જાહેરાત સરકાર દ્વારા ના થાય ત્યાં સુધી અમલ માં રહેશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલ રાતે નવથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. આમ અમદાવાદ પછી વધુ ત્રણ શહેરોમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આમ આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના છ સુધીનો રાત્રિ કરફ્યુ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી જારી રહેશે. શુક્રવારે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા કરીને વિવિધ નિર્ણયો લેવાયા હતા.

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે તેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે દાવો કર્યો છે કે સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખૂટી પડી હોવાની ચાલેલી વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમણે આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.તેની સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે 200 સભ્યોની લગ્ન સમારંભમાં છૂટ મળી છે તો દિવસના સમયમાં તેટલા સભ્યોને લઈને લગ્ન સમારંભ થઈ શકશે તેમ જણાવ્યું હતું.

તેમણે બેડ ખૂટી પડ્યાના દાવાને નકારી કાઢ્યો છે.  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડની વ્યવસ્થા છે. 1,200 પથારીની હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ. સોલા સિવિલમાં હાલ 400 આઇસોલેશન અને 40 આઇસીયુ બેડ છે. સોલા સિવિલમાં 600 દર્દીઓ સામાન્ય ઓક્સિજનની સારવાર લઈ રહ્યો છે. આ સિવાય ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ ખાલી દોવાનો દાવો કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ તેમણે 120 આઇસીયુ બેડ ઉમેરાયા હોવાનું જણાવ્યું હતું.

તેની સાથે સોલા સિવિલમાં પણ બેડ વધારવાની સૂચના આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટમલાં હજી પણ 60 આઇસીયુ બેડ ખાલી હોવાનું કહેવાયું હતું. સોલા સિવિલમાં 270 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય સિવિલની કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે અલગ બેડ રાખવામાં આવ્યા છે અને કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે 160 બેડ અલગ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, કરમસદ મેડિકલ કોલેજ  અને નડિયાદ મેડિકલ કોલેજમાં પણ કોરોનાના દર્દીઓ માટે સગવડ ઊભી કરવામાં આવી છે. આમ બધા જ જિલ્લામાં બધા લોકોને સેવા મળી રહે તે સઘન પ્રયાસો જારી છે. દરેક શહેરના ગ્રામીણ વિસ્તારના લોકોને પણ સગવડો મળે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ગઈકાલે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,340 હતી. આજે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ સંખ્યા 1,420 થઈ છે. અમદાવાદમાં 305 કેસ થયા છે. સંક્રમણ રોકવામાં સફળતા મળી હોવાનો નાયબ મુખ્યમંત્રીનો દાવો. રાજ્ય સરકાર અને કોર્પોરેશનો પોતે ટેસ્ટિંગ તો કરે જ છે પરંતુ નાગરિકો પણ હવે સામે ચાલીને ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. નાગરિકોએ ડરવાની જરૂર નથી. આજની હાઇ પાવર બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી.હતી 

 

(7:41 pm IST)