News of Saturday, 21st November 2020
લગ્નસરાની સીઝનમાં આયોજન કરનારા પરિવારો મુશ્કેલીમાં મુકાયા
રાત્રીના 9 થી સવારના 6 દરમિયાન કર્ફ્યુમાં આયોજનને મંજૂરી નહિ મળતા ફંક્શનો અટવાયા : પુરોહિતો પાસે નવા મુહૂર્ત કઢાવવા પડે તેવી સ્થિતિ
રાજકોટ : રાજ્યમાં કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકારે ગંભીરતાથી લઈને ગુજરાતના મોટા શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકટમાં રાત્રી કર્ફ્યુ લાદ્યો છે અમદાવાદમાં શનિવાર અને રવિવાર દરમિયાન દિવસે પણ કફ્ર્યુ લાદવામાં આવ્યો છે આગામી દિવસોમાં નવી જાહેરાત થયા એ પહેલા લોકડાઉન ફ્રી અનુભવતા રાજકોટીયનસે લગ્નસરાની સીઝનમાં યોજેલા લગ્ન ઉપર કર્ફ્યુના સમય પાબંધી રાત્રે 9 થી સવારે 6 સુધી લાગુ રહેશે આવા કોઈપણ લગ્ન યોજવા દેવાશે નહીં પૂર્વ આયોજિત ફંક્શનો રાખેલ હોય એવા પરિવારો પોતાના ફંક્શન માટે પુરોહિતો પાસે નવા મુહૂર્ત કઢાવીને સવારના ગાળામાં કરવા પડશે
(9:43 pm IST)