News of Tuesday, 21st June 2022
શિવસેનાના ધારાસભ્યોને સુરત એરપોર્ટ પર 3 ચાર્ટર્ડ પ્લેન પહોંચ્યા : 65 લોકોને ફલાઈટ મારફતે આસામ લઈ જવાશે
હોટેલથી 3 બસો મારફતે તમામ લોકોને સુરત એરપોર્ટ લવાયા : એરપોર્ટના પાછળના રસ્તેથી લઈ જવાય તે માટેની વ્યવસ્થા
સુરત :શિવસેનાના ધારાસભ્યોને સુરત એરપોર્ટ પર 3 ચાર્ટર્ડ પ્લેન તૈયાર છે, તેમાં 65 લોકોને ફલાઈટ મારફતે આસામ લઈ જવામાં આવશે. શિવસેનાના 35 ધારાસભ્ય તેમના OSC અને ઓફિસરોને બસમાં એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. હોટેલથી 3 બસો મારફતે તમામ લોકોને સુરત એરપોર્ટ લાવવામાં આવશે. સુરત એરપોર્ટના પાછળના રસ્તેથી લઈ જવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
(12:44 am IST)