મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કેરળમાં કોરોનાએ ફૂફાડો માર્યો : મૃત્યુઆંકમાં મોટો ઉછાળો : દેશમાં નવા 42.114 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.857 દર્દીઓ રિકવર થયા : વધુ 3998 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.18.511 થયો :એક્ટીવ કેસ ફરી 4 લાખને પાર પહોંચ્યા : કુલ કેસની સંખ્યા 3.12.15.142 થઇ

સૌથી વધુ કેરળમાં 16848 કેસ, મહારાષ્ટ્ર્રમાં 9389 કેસ,આંધ્રપ્રદેશમાં 2498 કેસ, તામિલનાડુમાં 1904 કેસ,ઓરિસ્સામાં 2085 કેસ,આસામમાં 1798 કેસ, કર્ણાટકમાં 1464 કેસ,મણિપુરમાં 1127 કેસ નોંધાયા :મોઝોરમ, મેઘાલય, ત્રિપુરા અરુણાચલ પ્રદેશમાં વધતા કેસથી ચિંતા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 42.114 કેસ નોંધાયા છે. જ્યારે 45.345 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.114 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3998 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.18.511 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.114 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.12.15.142 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.01.236 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.857 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.03.83.001 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 16848 કેસ, મહારાષ્ટ્ર્રમાં 9389 કેસ,આંધ્રપ્રદેશમાં 2498 કેસ, તામિલનાડુમાં 1904 કેસ,ઓરિસ્સામાં 2085 કેસ,આસામમાં 1798 કેસ, કર્ણાટકમાં 1464 કેસ,મણિપુરમાં 1127 કેસ નોંધાયા છે

(1:04 am IST)