મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

પંજાબના પાટિયાલામાં ભારે વરસાદથી મકાનની છત ધરાશાયી : એક જ પરિવારના ચાર લોકોના કરૂણમોત

દિલ્હી -એનસીઆરમાં ભારે વરસાદ : દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર

નવી દિલ્હી :  પંજાબનાં પતિયાલાના શૂતરાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાનની છત પડવાથી એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ હતી. દિલ્હી તેમજ એનસીઆરમાં મંગળવારે બપોર પછી વરસાદ પડવાનું શરૃ થયું હતું. આને કારણે દિલ્હીનાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ઉત્તર તેમજ પિૃમ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

(10:30 am IST)