News of Saturday, 21st November 2020
પશ્ચિમ બંગાળમાં મોટું રાજકીય તોફાન આવી રહ્યું છે: મમતા બેનરજીના પાંચ સાંસદો કોઈ પણ ઘડીએ રાજીનામુ ફગાવશે
ભારતીય જનતા પક્ષના સાંસદ અર્જુન સિંહે મોટો ધડાકો કર્યો છે કર્યો છે. તેમણે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના પાંચ સાંસદો કોઈ પણ ઘડીએ રાજીનામું આપી દેશે. મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સૌગતા રોય કેમેરાની સામે તૃણમૂલ કોંગ્રેસના નેતા હોવાનો માત્ર દંભ કરી રહ્યા હોવાનું પણ અર્જુનસિંહે જણાવેલ.
(6:29 pm IST)