મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 11માં રાઉન્ડની બેઠક પણ અનિર્ણયીત : કોઈ ઉકેલ આવ્યો નહીં

ખેડૂતોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઈએ

નવી દિલ્હી : સતત  58 મા દિવસે દિલ્હીની સરહદો પર ખેડુતોનું પ્રદર્શન આજે પણ ચાલુ છે. દરમિયાન આજે 11 મા રાઉન્ડની નવી દિલ્હીમાં યોજાયેલ ખેડૂત સંગઠનો અને સરકારની બેઠક પણ અનિર્ણિત હતી. બેઠકની આગામી તારીખ હજી નક્કી થઈ નથી. બેઠક દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે સરકાર દ્વારા શ્રેષ્ઠ  પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, ખેડુતોએ તેનો વિચાર કરવો જોઇએ. જ્યારે ખેડૂતોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઈએ

(11:40 pm IST)