News of Sunday, 22nd May 2022
હૈદરાબાદ, તેલંગણાના પશુપાલન મંત્રી શ્રીનિવાસ યાદવ સાથે શુભેચ્છા મુલાકાત લેતા ડો.વલ્લભભાઈ કથીરિયા.
તેલંગાણા સ્ટેટની દેશી પ્રજાની સુધારણા – બુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા ગૌમુત્ર – ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશક્તિકરણ અને યુવા રોજગાર, કાઉ ટુરીઝમ સેન્ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌ આધારિત ઓર્ગેનિક ફાર્મીંગ માટે ગૌશાળાની સ્થાપના જેવા વિવિધ મુદાઓ પર ડો.કથીરિયાએ નિવાસ યાદવ સાથે “ ગૌસેવા...રાષ્ટ્ર સેવા ...” ની દસ્તાવેજી પુસ્તિકા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ડો.કથીરિયાની સાથે તેલંગણા – આંધ્રપ્રદેશમાં ગૌસેવામાં કાર્યરત જસમતભાઇ પટેલ, રિધ્ધેશ જાગીરદાર,અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, આર.કે.જૈન અને શેખર રેડી ઉપસ્થિત રહ્યા હતા. શ્રીનિવાસે ડો.વલ્લભભાઈ કથીરિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.
(12:00 am IST)