દેશમાં કોરોના વિદાય તરફ : નવા 39.045 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 76.440 દર્દીઓ રિકવર થયા : વધુ 1103 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.89.268 થયો : એક્ટિવ કેસ ઘટીને 6.59.208 થયા : કુલ કેસની સંખ્યા 2.99.73.457 થઇ
સૌથી વધુ કેરળમાં 7449 કેસ,તામિલનાડુમાં 7427 કેસ,મહારાષ્ટ્રમા 6270 કેસ,કર્ણાટકમાં 4867 કેસ, ઓરિસ્સામાં 3031 કેસ,આંધ્રપ્રદેશમાં 2620 કેસ,પશ્ચિમ બંગાળમાં 1879 કેસ, તેલંગાણામાં 1187 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 39.045 કેસ નોંધાયા છે. જ્યારે 76.440 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 39.045 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1103 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,89.268 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 39.045 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,99.73.457 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 6.59.208 થઇ છે છેલ્લા 24 કલાકમાં 76.440 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,89.13.191 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 7449 કેસ,તામિલનાડુમાં 7427 કેસ,મહારાષ્ટ્રમા 6270 કેસ,કર્ણાટકમાં 4867 કેસ, ઓરિસ્સામાં 3031 કેસ,આંધ્રપ્રદેશમાં 2620 કેસ,પશ્ચિમ બંગાળમાં 1879 કેસ, તેલંગાણામાં 1187 કેસ નોંધાયા છે