યુપીથી નદીમાં પાણી સાથે મૃતદેહો આવે છે : અમે અંતિમ સંસ્કાર કરાવ્યા : મમતા બેનર્જી
કોલકાતા તા. ૨૨ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશથી તેમના રાજયમાં મૃતદેહો નદીમાં તરીને આવી રહ્યા છે. સીએમ મમતાએ આ લાશોને કોરોના ચેપ લાગવાની સંભાવના વ્યકત કરી છે. તેમણે કહ્યું છે આવી ઘણી લાશો જોઇ છે. નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. અમે નદીઓમાંથી મૃતદેહો કાઢી રહ્યા છીએ અને તેમના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છીએ.
મહત્વનું છે કે, મમતા બેનર્જીના આ નિવેદનની સાથે, કોરોનાની બીજી લહેરમાં, ઉત્તર પ્રદેશની ગંગા નદીમાં તરતી મૃતદેહોનો મુદ્દો ફરી એકવાર ગતિ પકડી શકે છે. મે મહિનામાં ત્રીજી વખત પશ્યિમ બંગાળમાં સત્તા પર રહેલા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર સાથે સતત મુકાબલો ચાલુ રાખ્યો છે.
પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખરે સોમવારે કહ્યું હતું કે, રાજયમાં મતદાન પછીની કથિત હિંસાથી ઉભી થયેલી સ્થિતિ ચિંતાજનક અને ખલેલ કારક છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ આ મુદ્દે શાહમૃગ વલણ અપનાવ્યું છે. ધનખારે ઉત્તર બંગાળની એક સપ્તાહની મુલાકાત લીધી છે, જે દરમિયાન તેમણે હિંસા પીડિતો સાથે રાજય સરકારની સારવારની ટીકા કરી હતી.