ફુલોમાંથી પણ આ બને છે તે સ્વાસ્થ્ય વર્ધક પણ હોય છે : જાણો તેના ફાયદા અને બનાવવાની રીત
ગલગોટાના ફુલની પાંદડીથી બનાવેલ આ એન્ટિઓક્સિડન્ટથી છે ભરપુર : ચા ના નિયમિત સેવથી ત્વચા તેમજ ખીલની સમસ્યાથી છુટકારો મળે છે
નવી દિલ્હી : હમણાં સુધી આપણે ક્યારામાં ગલગોટાના ફૂલો જોયા છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેમાંથી ચા પણ બનાવી શકાય છે? તેની પાંખડીઓથી હજી પણ ફેસ પેક અને વાળના માસ્ક વગેરે માટે વપરાય છે. પરંતુ તમે તેનાથી બનાવેલી ચા ઘણી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉપચાર કરી શકો છો. તેના ફૂલોથી તૈયાર થયેલી આ ચાનું સેવન કરવાના ઘણા લાભ છે. તેમાં સ્કિન હીલિંગ, એન્ટી ઇન્ફ્લેમેશન, એન્ટિ સેપ્ટિક અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ છે, જે તેને ફાયદાકારક બનાવે છે. તો ચાલો આપણે જાણીએ કે ગલગોટાના ફૂલોથી બનેલી ચાના ફાયદા શું છે.
1. ત્વચાનો ઝડપથી ઉપચાર કરે છે :-
ગેલગોટાના ફૂલોથી બનેલી ચા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે ત્વચાને સ્વસ્થ કરે છે અને ખીલથી છૂટકારો આપે છે. જો ત્વચા બળી ગઈ હોય અથવા કોઈ ઘા પડયા હોય, તો આ ચાના સેવનથી ત્વચાના કોષો ઝડપથી સાજા થવા લાગે છે. એસપીએફ દ્વારા થતાં નુકસાન પણ તેના સેવનથી સજા થઇ જાય છે. તે ત્વચાને વૃદ્ધત્વથી બચાવે છે અને ત્વચા પર થતી ફોલ્લીઓનો ઉપચાર કરે છે.
2. એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ :-
ગેલગોટાના ફૂલોમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો તણાવની અસર ઘટાડે છે. તે ટ્યુમર, બળતરા, જાડાપણું, મેટાબોલિક સિન્ડ્રોમ અને ટાઈપ 2 ડાયાબિટીસ વગેરેને પણ નિયંત્રિત કરે છે. તેમાં હાજર કમ્પાઉન્ડ તત્વો વિટામિન એ એન્ટીઓકિસડન્ટમાં વધારો કરે છે અને ચાને સ્વસ્થ બનાવે છે.
3. દાંતના દુ:ખાવાથી આપે છે રાહત :-
જો દાંતમાં દુ:ખાવો થવાની સમસ્યા હોય તો ગલગોટાના ફૂલની ચાને થોડીક ઠંડી કરીને તેના કોગળા કરો. ચાને થોડી વાર મોઢામાં રાખો અને થોડી વાર પછી તેને મોંમાંથી બહાર કાઢો. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે અને દાંતના ઇન્ફેક્શનથી છૂટકારો મળશે.
4. માઉથ અલ્સર અને ગળાના દુખાવામાં રાહત :-
એન્ટિ-સેપ્ટિક ગુણધર્મોને લીધે આ ચાના સેવનથી મોઢાના ચાંદા અને ગળાના દુખાવામાં રાહત મળે છે.
આ રીતે ગલગોટાના ફૂલની ચા બનાવો :-
આ માટે 4થી 5 ગલગોટાના ફૂલો, બે ગ્લાસ પાણી અને મધ લો.
તેને બનાવવા માટે પહેલા એક કઢાઈમાં પાણી નાંખો અને ગેસ પર ઉકળવા માટે રાખો. ગલગોટાના ફૂલોની પાંખડીઓ અલગ કરો અને તેને આ પાણીમાં નાખો.
પાણીને બરાબર ઉકળવા દો અને તેને ઓછામાં ઓછા 5 મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે ઉકળવા દો.
હવે જ્યારે પાણી સારી રીતે ઉકળે છે, ત્યારે ગલગોટાની પાંદડીઓનો રંગ પાણીમાં દેખાવા લાગશે. અડધા સુધી પાણી ઓછું થાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરો અને તેને મધ સાથે સર્વ કરો.
ક્યારે કરવું તેનું સેવન :-
દિવસમાં બે વખત આ ચાનું સેવન કરો. તમે તેને સવારે એકવાર અને રાત્રિભોજન પછી ઓછામાં ઓછા 1 કલાક પછી એકવાર લઈ શકો છો. પરંતુ જો તમને પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.
રસીને લઇને ગરમાતું રાજકારણ ર૦૧રમાં એક જ દિવસમાં પોલીયોના ૧૭ કરોડ ડોઝ બાળકોને અપાયા હતા
પરંતુ જે તે સમયના પ્રધાનમંત્રી મનમોહનસિંહના કયાંય પોસ્ટર લગાવ્યા નહોતા કે કોઇ પ્રચાર કર્યો નહોતો
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, દેશમાં એક દિવસ ફ્રેબુઆરી 2012માં પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોના 17 કરોડથી વધારે બાળકોને રસી આપવામાં આવી પણ મનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યા નહોતા. દશ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસ માંડ એંસી લાખ રસી લગાવી શકે છે.
આ અંગે પ્રહાર કરતા વરિષ્ઠ પત્રકાર રવિશ કુમારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતા લેખાજોખા રજૂ કર્યા હતા. રવિશ કુમાર જણાવે છે કે, બની શકે કે, આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ કેટલો મામૂલી છે. પોલિયો અભિયાનની ટિકા કરનારા તેની સામે ધૂળ પણ અડકી ન શકે. એ પણ ત્યારે જ્યારે છ મહિના સુધી ઢંઢેરો પિટ્યો કે દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. તેમ છતાં પણ આખો દિવસ વિત્યા બાદ એક જ દિવસમાં ફકત એક કરોડની સંખ્યા પણ ટચ કરી શક્યા. જેની આડમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ને વિશ્વ રેકોર્ડ બનાવી નાખ્યો.
રવિશ કુમાર આગળ જણાવે છે કે, સરકારની સફળતાને મોટી ગણાવવા માટે આંકડોએને અલગ અલગ સજાવવામાં આવે છે. તેને મોટુ બતાવવા માટે એક કરોડથી ઓછી વસ્તીવાળા દેશોની ગણતરી કરવામાં આવી રહી છે કે, ન્યૂઝીલેન્ડની વસ્તીથી દોઢ ગણા વધારે આજ રસી લગાવી છે. કમ સે કમ કોરોનાથી લડવામાં ભારત ન્યૂઝીલેન્ડની તુલના ન કરે તો જ સારૂ છે, કારણ કે ન્યૂઝીલેન્ડની ગણતરી કોરોનાથી લડવામાં સૌથી સફળ દેશોમાં થાય છે.
ગત રોજનું રસીકરણ અભિયાન પણ ફ્લોપ રહ્યું. આ અભિયાન આંખોમાં ધૂળ નાખવા સિવાય કશુંય નથી. તેની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો. દરેક અખબારના પહેલા પાને જાહેર ખબર જેમાં મોદીજીને ધન્યવાદ આપ્યા. આપ જાણો છો કે, સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામા આવે છે. ભારતમાં તે છ મહિના બાદ શરૂ કરવામા આવ્યું. તેમ છતાં પણ દરેકને મફતમાં તો નથી જ મળતી. 25 ટકા રસી પ્રાઈવેટ હોસ્પિટલોને આપી રહ્યા છે. આપને ટકાવારી બતાવાય છે, પણ અસલમાં કેટલી સંખ્યામાં તે નહીં જણાવે.
સરકાર નથી બતાવતી કે કેટલા લોકો પૈસા દઈને રસી લીધી. ગત રોજના એંસી લાખમાં કેટલા લોકોએ પૈસા આપીને બેવકૂફ બન્યા છે. વસ્તીનો એક ભાગ 780 અને 1410 રૂપિયાનો એક ડોઝ લગાવીને મુર્ખ બની રહ્યો છે. તે જાણી રહ્યો છે કે, પૈસા આપીને રસી લીધી છે, પણ આ સમાચાર વાંચી રહ્યો છે કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.