મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

WTC ફાઇનલમાં પૂજારાના પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડ પ્રવાસને કારકિર્દીની અંતિમ તક !: અનેક અટકળ

ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન જાળવી રાખવા ઇંગ્લેન્ડ પ્રવાસમાં યાદગાર ઇનિંગ્સ રમવાનો પડકાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગ્સમાં ચેતેશ્વર પૂજારા )ફક્ત 8 રન બનાવી આઉટ થયો હતો. તેણે 36માં બોલે પોતાનું ખાતું ખોલાવ્યું હતું, જે પછી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પોતાની ધીમી શરુઆતને તે વધારે આગળ વધારી શક્યો ન હતો અને ટ્રેન્ટ બોલના બોલ પર એલબી આઉટ થયો હતો. પૂજારાના આ પ્રદર્શન પછી કહેવામાં આવી રહ્યું છે કે તેની કારકિર્દી ખતમ થવાની અણી પર છે.

2010માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પૂજારાએ 85 ટેસ્ટમાં 142 ઇનિંગ્સમાં 6244 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ 206 રન છે. પૂજારાના નામે 18 સદી અને 29 અડધી સદી છે.

પૂજારાને ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ યાદગાર ઇનિંગ્સ રમવાનો પડકાર છે. ઇંગ્લેન્ડ પ્રવાસને તેની કારકિર્દીની અંતિમ તક માનવામાં આવે છે.

પૂજારા છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં ઝઝુમી રહ્યો છે. ઓગસ્ટ 2019થી તેણે 17 ટેસ્ટમાં 29.21ની એવરેજથી 818 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યો નથી. 28 ઇનિંગ્સમાં તે 9 વખત 50 રન સુધી પહોંચ્યો છે. ઇંગ્લેન્ડમાં પૂજારાએ 9 ટેસ્ટમાં 29.41ની એવરેજથી 500 રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પૂજારાએ બે ફોર ફટકારી હતી. આ પછી ઘણા બોલ ડોટ રમ્યો હતો. આ દરમિયાન તે સ્ટ્રાઇક રોટેટ કરી શક્યો ન હતો

(12:03 am IST)