News of Thursday, 22nd July 2021
ઉધ્ધવજીએ સજોડે પંઢરપુર મંદિરમાં મહાપુજા કરી
અષાઢી એકાદશી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શ્રી ઉદ્ધવ ઠાકરે અને તેમનાં પત્ની શ્રીમતી રશ્મિ ઠાકરેના હસ્તે સવારે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલ-રૂકમણીની શાસકીય મહાપૂજા સંપન્ન થઈ હતી. મુંબઈથી ૩૬૦ કિલોમીટરના અંતરે આવેલા પંઢરપુર ખાતે ઉદ્ધવજી ઠાકરે પોતે ડ્રાઈવ કરીને પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરે પણ સાથે હતા. અષાઢી એકાદશીના દિવસે વહેલી સવારની મહાપૂજામાં રાજ્યના મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની હાજર રહે એ લાંબા સમયથી ચાલી આવતી પ્રથા છે.
(11:58 am IST)