બેન્કમાંથી ડિસમિસ થયેલા કર્મચારીને નિવૃત થઇ ગયો હોવાથી લમ્પસમ રકમ પેટે 15 લાખ રૂપિયા ચૂકવવાનો સુપ્રીમ કોર્ટ ખંડપીઠનો આદેશ : તમામ હક્ક હિસ્સા સાથે કર્મચારીને નોકરીમાં પાછો લેવાના હાઇકોર્ટના આદેશમાં સુપ્રીમ કોર્ટે સુધારો કર્યો
અલ્હાબાદ : અલ્હાબાદ બેંકની ઔરંગાબાદ શાખામાં કારકુન-કમ-કેશિયર તરીકે નોકરી કરતા કર્મચારી ઉપર બેંકમાં અકસ્માતે લાગેલી આગમાં બેંક રેકોર્ડ સળગી ગયું હતું તેમાં તેની સંડોવણી હોવાની શંકાના કારણે, તેને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યો હતો અને આખરે તેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઇકોર્ટે કર્મચારીને તમામ લાભો સાથે પુન સ્થાપિત કરવાનો નિર્દેશ આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ સામે અલાહાબાદ બેંક (અપીલકર્તા) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અપીલ પર ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના આદેશમાં ફેરફાર કરવાનું યોગ્ય ગણ્યું હતું કે પ્રતિવાદી માત્ર છ વર્ષ સુધી બેંકમાં અસરકારક સેવામાં હતો અને પહેલેથી જ સુપરએન્યુએશનની ઉંમર મેળવી ચૂક્યો હતો. તેથી તેને ફરીથી નોકરીમાં લેવાને બદલે લમ્પસમ નાણાકીય વળતર આપવું .
આથી નામદાર કોર્ટે પ્રતિવાદીને આઠ સપ્તાહના સમયગાળામાં રૂ .15 લાખના લમ્પસમ વળતરની સીધી ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.