મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

દેશમાં વધુ 69 લાખથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા : કુલ રસીકરણનો આંકડો 82 કરોડને પાર પહોંચ્યો

સાંજે 7 વાગ્યા સુધીમાં 68,26,132 લોકોને કોરોનાની રસી અપાઈ : કુલ આંકડો 82,57,80,128 પર પહોંચી ગયો

નવી દિલ્હી :  દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહીને જોતા રસીકરણ અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 82 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે 68 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ કોરોના રસીકરણનો કુલ આંકડો 82 કરોડને પાર કરી ગયો છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 68,26,132 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 82,57,80,128 પર પહોંચી ગયો છે.

(12:34 am IST)