સ્વદેશી હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્ર નૌસેનામાં સામેલ, વિશાખાપટ્ટનમમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું
નવી દિલ્હી, : ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. જી સતીશ રેડ્ડી અને ડીઆરડીઓના અધ્યક્ષે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે એક સમારોહમાં આને લીલી ઝંડી બતાવીને રવાના કર્યુ.
જીપીએસએ લક્ષ્ય શોધનાર વરુણાસ્ત્ર નામનું આ સબમરીન રોધી ટૉરપીડો જીપીએસની મદદથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. એક ટનથી વધારે વજનનું વરુણાસ્ત્ર પોતાની સાથે 250 કિલો સુધીનો વૉરહેડ લઈ જઈ શકે છે. તેનુ ગાઈડન્સ સિસ્ટમ પણ ઉન્નત છે. ભારતની પાસે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ-શિપ અને લેન્ડ-અટેક ક્રૂઝ મિસાઈલ પણ છે.
વરુણાસ્ત્ર ટૉરપીડો 74 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી હુમલો કરે છે. આ સ્વદેશી ટૉરપીડોથી ભારતીય જંગી જહાજ અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. આનો વજન લગભગ ડોઢ ટન છે. આમાં 250 કિલોના હાઈ લેવલ એક્સપ્લોસિવ લાગેલા છે. વરુણાસ્ત્રમાં લાગેલા ટ્રાન્સડ્યુસર્સ આને હુમલાને વધારે મોટા એરિયા પ્રદાન કરે છે. આ જ કારણ છે કે વરુણાસ્ત્ર કોઈ પણ સબમરી પર ઉપર અથવા નીચે બંને તરફથી હુમલો કરી શકે છે. જેમાં જીપીએસ લોકેટિંગ સિસ્ટમ લાગેલી છે. જેના કારણે આનુ નિશાન અચૂક થઈ જાય છે.
ભારતીય નૌસેનાએ 1187 કરોડ રૂપિયામાં 63 વરુણાસ્ત્રનો ઓર્ડર આપ્યો છે. જેમાં જહાજ અને સબમરીન બંનેથી ફાયર થનારા ટૉરપીડો સામેલ છે. વરુણાસ્ત્રને કલકત્તા ક્લાસ, રાજપૂત ક્લાસ અને દિલ્હી ક્લાસ ડિસ્ટ્રાયર્સ સિવાય કમોર્તા ક્લાસ કાર્વેટ્સ અને તલવાર ક્લાસ ફ્રિગેટ્સમાં પણ લગાવવાની યોજના છે. આને સિંધુ સિરીઝની સબમરીનમાં પણ લગાવવામાં આવશે.