કોવિડ પછી યુવાનોની સેક્સ લાઇફને અસરઃ કામેચ્છા જગાવતી ગોળીઓનો બેફામ વપરાશ
કોરોનાકાળ બાદ લોકોમાં તણાવ અને સતત ચિંતાનું પ્રમાણ વધ્યું છેઃ જે બાદ લોકો વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરી રહ્યા છે : ૨૦૨૧ની સરખામણીએ ગયા વર્ષે કામેચ્છા જગાવતી ગોળીઓના વેચાણમાં સૌથી વધુ ૩૪ ટકા વધારો નોંધાયો છે
નવી દિલ્હી,તા. ૨૩ :: કોવિડ રોગચાળાથી બચવા માટે એન્ટિવાયર, એન્ટિબાયોટિક્સ અને વિટામિન્સ આપ્યા પછી ગુજરાતમાં લોકો તેમની ગોળીઓના બોક્સ બેડરુમમાં લઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)-AWACSના જણાવ્યા મુજબ, રાજયમાં ૨૦૨૧ની સરખામણીએ ગયા વર્ષે સેક્સ ઉત્તેજકના વેચાણમાં સૌથી વધુ ૩૪ ટકા વધારો નોંધાયો છે. તબીબી પ્રેકિટશનરો અને રસાયણ શાસ્ત્રીઓ આ વધારા માટે આ દવાઓનો આડેધડ ઉપયોગ અને નબળી કામ વાસના અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનના વધતા બનાવોને જવબદાર ગણાવી રહ્યા છે. એક તરફ યુવાનો કે જેઓ PDE-5 ઈનહિબીટર્સ ખરીદી રહ્યા છે અને બીજી તરફ કોવિડ-૧૯ ચેપ, વધતા તણાવ અને ખરાબ જીવનશૈલીના વિકલ્પોના કારણે સેક્સ ડ્રાઈવમાં ઘટાડો ધરાવતા લોકો છે.
આ માત્ર રોગચાળા પછી લોકોમાં તણાવ અને ચિંતામાં વધારો નથી, હકીકતમાં કોવિડ-૧૯થી પીડિત ઘણા લોકો નબળી કામવાસના અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની ફરિયાદો સાથે આગળ આવ્યા છે. આવા દર્દીઓની સંક્યા દિવસે ને દિવસે વધી રહી છે, એવું અમદાવાદમાં આવેલા સેક્સ્યુઅલ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર પારસ શાહે જણાવ્યું હતું. તબબી પ્રેકિટ્શનરોએ લોકોને ખાસ કરીને યુવાનોને તમાકુ અને ગાંજાના ધ્રુમપાનના વ્યસની બનવાના વધતા વલણને પણ કારણ દર્શાવ્યું છે. જે તેમના જાતિય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વધતા વેચાણનું બીજુ મુખ્ય કારણ આ દવાઓનો અવિચારી વપરાશ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા જણાવે છે.
યુવાનો ખાસ કરીને ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરના લોકો આ દવાઓને મેડિકલ સ્ટોર પરથી ખરીદી રહ્યા છે કે પછી ઓનલાઈન ઓર્ડર આપી રહ્યા છે. સ્પષ્ટ રીતે તેઓ જિજ્ઞાસાથી અજાણ છે અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓથી પણ અજાણ છે. છેવટે તેઓને આવી દવાઓની આદત લાગી જાય છે. આમાના મોટાભાગના લોકો ભણેલાં ગણેલાં છે અને આડેધડ PDE5 ઈનહિબીટરના સેવનના પરિણામોથી વાકેફ હોવા છતા પણ અવિચારીપણે તેનું સેવન કરવાનું ચાલુ રાખે છે, એવું ડોક્ટર શાહે ઉમેર્યું હતું.
AIOCD-AWACSના જણાવ્યા મુજબ, ડિસેમ્બર ૨૦૨૨માં હર્બલ અને આયુર્વેદિક દવાઓની સાથે સાથે યૌન ઉત્તેજના કાયાકલ્પ માટે વપરાતી દવાઓ, મોટાભાગે સિલ્ડેનાફિલ સાઈટ્રેટ અને ટેડાલાફિલ માટેનું એન્યુઅલ ટર્નઓવર વધીને રુપિયા ૪૩.૪ કરોડ થયુ હતુ. જે ડિસેમ્બર ૨૦૨૧માં રુપિયા ૩૨.૫ કરોડ હતું. કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ વેચાણમાં આ વધારાને રોગચાળા પછીથી લોકો સતત અનુભવી રહેલા અવિરત તણાવને કારણ માને છે. વર્ષ દરમિયાન વેચાણમાં વધારો દર્શાવતી દવાઓની અન્ય શ્રેણીઓમાં ડર્મિટોલોજી (૯%), ઓટોલોજીકલ (૯%), ન્યૂરો અને સેન્ટ્રલ નવર્સ સિસ્ટમ (૮%), ગાયનેકોલોજી (૬%)નો સમાવેશ થાય છે.