મદરેસા ગયેલ બે માસૂમ સગી બહેનો ખેતરમાંથી લોહીથી લથબથ મળી આવીઃ એકનું મોત
શાહજહાંપુર (ઉ.પ્ર.), તા. ૨૩ :. યોગી સરકારના આકરા પગલાઓ છતાં યુપીમાં હત્યા, બળાત્કાર, અપહરણ સહિતના ગુન્હાઓ અવિરત ચાલુ જ રહે છે. મહિલાઓ, બાળકો, કિશોરીઓ સામેના અત્યાચારો વધુને વધુ બહાર આવતા જાય છે.
શાહજહાંપુર ખાતે બે માસૂમ સગી બહેનો મદરેસામા ભણવા ગયેલ પરંતુ ઘરે પરત આવી નહિ, મોડી રાત્રે ૪ વર્ષની બાળકીનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો અને બીજી ૭ વર્ષની સગી બહેન ખેતરમાં લોહીથી લથબથ ગંભીર હાલતમાં મળી આવતા ખળભળાટ સાથે ભારે રોષ ફેલાયો છે.એવું મનાય છે કે હત્યારાઓ આ બન્ને બહેનો મૃત્યુ પામ્યાનું માની લાશ ફેંકી નાસી છૂટયા હશે. પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે. તેના પરિવાર પાસેથી વિગતો મેળવાઈ રહી છે. લોહીથી લથબથ મળી આવેલ ૭ વર્ષની બાળાની સ્થિતિ મેડિકલ કોલેજની હોસ્પીટલમાં અતિગંભીર છે.
બાળકી હોશમાં આવે પછી કંઈક હકીકત બહાર આવશે. પોલીસે સંખ્યાબંધની અટક કરી જાણકારી મેળવી રહી છે.
મોડે સુધી તલાસી પછી ખેતરમાંથી લોહીથી લથબથ મળી આવેલ બાળકીના શ્વાસ ચાલતા હોય તેને તુરંત જ હોસ્પીટલે લઈ જવાયેલ.
બન્ને મુસ્લિમ પરિવારની બન્ને સગી બહેનો મદરેસા ગયા પછી ગુમ થઈ ગઈ હતી. થોડા જ સમય પહેલા કાનપુર નજીકથી ખેતરમાં ૩ બહેનો બાંધેલ હાલતમાં મળી આવેલ જેમાં ૨ના મોત થયેલ. એક તરફી પ્રેમમાં એક યુવકે ઝેર આપી તેને મારી નાખેલ.