દેશમાં કોરોના થાક્યો : નવા 50.784 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 68,529 દર્દીઓ રિકવર થયા : વધુ 1359 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.90.691 થયો :એક્ટિવ કેસ ઘટીને 6.38.038 થયા : કુલ કેસનો આંકડો 3 કરોડને પાર પહોંચ્યો : કુલ કેસની સંખ્યા 3.00.27.850 થઇ
સૌથી વધુ કેરળમાં 12.617 કેસ,મહારાષ્ટ્રમા 8470 કેસ,તામિલનાડુમાં 6895 કેસ,આંધ્રપ્રદેશમાં 4169 કેસ, કર્ણાટકમાં 3709 કેસ, ઓરિસ્સામાં 2957 કેસ, ,પશ્ચિમ બંગાળમાં 1852 કેસ, તેલંગાણામાં 1175 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 50.784 કેસ નોંધાયા છે. જ્યારે 68.529 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 50.784 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1359 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,90.691 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 50.784 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.00.27.850 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 6.38.038 થઇ છે છેલ્લા 24 કલાકમાં 68.529 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,89.87.311 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.617 કેસ,મહારાષ્ટ્રમા 8470 કેસ,તામિલનાડુમાં 6895 કેસ,આંધ્રપ્રદેશમાં 4169 કેસ, કર્ણાટકમાં 3709 કેસ, ઓરિસ્સામાં 2957 કેસ, ,પશ્ચિમ બંગાળમાં 1852 કેસ, તેલંગાણામાં 1175 કેસ નોંધાયા છે