મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

ત્રીજી વનડેમાં શ્રીલંકાની 3 વિકેટે જીત : ભારતે 2-1થી સિરિઝ પર કબ્‍જો કર્યો

ભાવનગરના ચેતન સાકરીયા સહિત 5 ખેલાડીઓ ભારત વતી ડેબ્યૂ :ભારતના 227 રનના લક્ષ્યાંકને શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી હાંસલ કર્યો

કોલંબા :ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ કોલંબોના પ્રેમાદાસા મેદાન પર રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 6 ફેરફાર કર્યા છે, જેમાં 5 નવોદિતોને તક મળી છે. ટીમ ઈન્ડિયાએ 3 વનડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. જો પ્રથમ વનડેમાં જબરદસ્ત વિજય મેળવ્યો હતો, તેણે બીજી વનડેમાં સંઘર્ષ કર્યો હતો.

હવે આજે બંને ટીમો વચ્ચે ત્રીજી અને શ્રેણીની અંતિમ વનડે છે. ભારતની નજર આજે ક્લીન સ્વીપ પર છે, શ્રીલંકાની જીતની આબરુ બચાવવા પર છે. આ સ્થિતિમાં, શ્રીલંકાએ ભારતે આપેલા 226 રનના લક્ષ્યાંક સામે વળતા જવાબમાં શાનદાર શરુઆત કરી હતી.

ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે. ભારતે આપેલા 227 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.  શ્રીલંકા તરફથી સૌથી વધુ 76 રન અવિષ્કા ફર્નાન્એ બનાવ્યા હતા

ઈન્ડિયાએ શ્રીલંકાને ત્રીજી વનડે જીતવા માટે 227 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ડકવર્થ લુઈસ મેથડથી ઈન્ડિયાના સ્કોરમાં 1 રન એડ કરાયો છે.  શ્રીલંકન ટીમે 1 વિકેટના નુકસાન પર 114 રન બનાવી લીધા છે. શ્રીલંકાની ટીમે આ મેચમાં મજબૂત પકડ બનાવી છે. અવિષ્કા ફર્નાન્એ 54 રન બનાવ્યા છે.

(12:12 am IST)