મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

યુપીમાં દુષ્‍કર્મીઓને હવે નહીં મળે આગોતરા જામીન

યોગી સરકારે વિધાનસભામાં પસાર કર્યું બીલ

લખનૌ,તા. ૨૩ : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગુરુવારે ચોમાસું સ્‍તર દરમ્‍યાન મહિલા ધારાસભ્‍યો માટે ખાસ દિવસ હતો. આ દિવસ ખાલી મહિલા ધારાસભ્‍યોએ પોતાની વાત ᅠરજૂ કરી હતી. જેની ઘોષણા વિધાનસભા અધ્‍યક્ષ સતીશ મહાનાએ પાછળા દિવસોએ કરી હતી. આ દરમ્‍યાન ગુરુવારે વિધાનસભામાં યુપી સરકાર દ્વારા સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્‍યું હતું.ᅠ

વિધાનસભાના ચોમાસા સત્રમાં સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્‍યા બાદ હવે ગંભીર મહિલા ગુનાઓમાં આગોતરા જામીન નહીં મળે. સરકારે ગંભીર ગુનાઓમાં જામીનના નિયમને લઈ મોટો નિર્ણય કર્યો છે. અગાઉ મહિલાઓ વિરુદ્ધ વધતાં જતાં ગુનાઓ પછી સરકારની આ કાર્યવાહીને એક મોટા નિર્ણય તરીકે જોવાઈ રહી છે.ᅠયુપીની યોગી આદિત્‍યનાથ સરકાર તરફથી વિધાનસભામાં સીઆરપીસી સંશોધન બિલ સિવાય અન્‍ય બીજા બે બિલો પણ રજૂ કરવામાં આવ્‍યા હતા. આગોતરા જામીન નહીં મળવાની સાથે બિલમાં કેટલાક કેસોમાં સજા વધારાવાનો પણ પ્રસ્‍તાવ છે.

(1:32 pm IST)