મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

દિલ્હીમાં ભાજપના નેતા ઝુલ્ફીકાર કુરૈશીની ગોળી મારીને હત્યા: તેમના દીકરા પર ચપ્પા વડે હુમલો

ઝુલ્ફીકાર કુરૈશીના દીકરાને સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયો

 નવી દિલ્હી : દિલ્હીના નંદનગરી વિસ્તારના સુન્દર નગરીમાં ભાજપના નેતા તથા આરટીઆઈ કાર્યકર્તા ઝુલ્ફીકાર કુરૈશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી. જેને લઈને સમગ્ર દિલ્હીમાં ચકચાર મચી જવા પામી છે

  ઝુલ્ફીકાર સવારે નમાજ પઢવા જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ તેમને મસ્જિદની બહાર ગોળી મારી હતી. આ સાથે અસામાજિક તત્વોએ ઝુલ્ફીકાર કુરૈશીના દીકરા પર ચાકુથી હુમલો કર્યો હતો.

   દિલ્હી પોલીસે ભાજપ નેતા ઝુલ્ફીકાર કુરૈશીના દીકરાને સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. જ્યાં તેમની હાલત ઘણી ગંભીર હોવાનું કહેવાઈ કહ્યું છે. આ સાથે આ મામલામાં તપાસ ચાલુ કરી છે. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

(11:24 am IST)