ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી શ્રેણીની મેચોમાં ફેરફાર :વનડે શ્રેણી અમદાવાદમાં અને T20 શ્રેણી કોલકાતામાં યોજાશે
અમદાવાદમાં પ્રથમ ODI મેચ 6 ફેબ્રુઆરી,બીજી મેચ 9 ફેબ્રુઆરી અને છેલ્લી વનડે 11 ફેબ્રુઆરીએ રમાશે
મુંબઈ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી શ્રેણીની મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂરો કર્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમની યજમાની કરવાની છે.
ત્રણ મેચની ODI શ્રેણી બાદ બંને ટીમો સમાન સંખ્યામાં T20I શ્રેણી રમશે.BCCIએ શનિવારે 22 જાન્યુઆરીએ બદલાયેલ શેડ્યૂલની જાહેરાત કરી હતી, જેમાં ODI શ્રેણી અમદાવાદમાં અને T20 શ્રેણી કોલકાતામાં યોજાવાની છે.
BCCIએ શનિવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી સિરીઝ વિશે માહિતી આપી છે. સમાચાર અનુસાર, શ્રેણીની પ્રથમ ત્રણ વનડે અમદાવાદમાં રમાશે. આ પછી, સમાન સંખ્યામાં મેચોની T20 શ્રેણીની તમામ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. પ્રથમ વનડે શ્રેણીની મેચો અમદાવાદ, જયપુર અને કોલકાતામાં રમવાની હતી. આ પછી ટી20 શ્રેણી કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં રમવાની હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ODI મેચ રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 ના રોજ અમદાવાદમાં રમાશે. આ સ્ટેડિયમમાં બીજી મેચ 9 ફેબ્રુઆરી બુધવારે અને છેલ્લી ODI 11 ફેબ્રુઆરીએ રમાશે. T20 સીરીઝની વાત કરીએ તો, પ્રથમ મેચ 16 ફેબ્રુઆરી 2022 બુધવારના રોજ કોલકાતામાં રમાશે. બીજી મેચ આ સ્ટેડિયમમાં શુક્રવાર 18 ફેબ્રુઆરીએ અને ત્યાર બાદ છેલ્લી ટી20 મેચ રવિવાર 20 ફેબ્રુઆરીએ રમાવાની છે