મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

હંમેશાં નિર્ભિક રાજકારણી અને લોખંડી વહીવટકર્તા તરીકે હિન્દૂ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે યાદ રહેશે: પરિમલ નથવાણી

આંધ્ર પ્રદેશથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને જામનગરના વતની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ આજે હિન્દુ સમ્રાટ અને શિવસેનાના સ્થાપક સ્વ. બાલાસાહેબ ઠાકરેજીને તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વિટ કરી જણાવ્યું છે કે તેઓ હંમેશાં નિર્ભિક રાજકારણી અને લોખંડી વહીવટકર્તા તરીકે યાદ રહેશે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાહેર સેવાને સમર્પિત કરી દીધું હતું.

(5:37 pm IST)