દેશમાં કોરોનાના નવા 54.147 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 68,854 દર્દીઓ રિકવર થયા : વધુ 1321 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.92.012 થયો :એક્ટિવ કેસ ઘટીને 6.21.859 થયા : કુલ કેસની સંખ્યા 3.00.82.030 થઇ
સૌથી વધુ કેરળમાં 12.787 કેસ,મહારાષ્ટ્રમા 10.066 કેસ,તામિલનાડુમાં 6596 કેસ,આંધ્રપ્રદેશમાં 4684 કેસ, કર્ણાટકમાં 4436 કેસ, ઓરિસ્સામાં 3456 કેસ, આસામમાં 2728 કેસ,પશ્ચિમ બંગાળમાં 1925 કેસ, તેલંગાણામાં 1114 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 54.147 કેસ નોંધાયા છે. જ્યારે 68.854 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 54.147 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1321 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,92.012 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 54.147 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.00.82.030 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 6.21.859 થઇ છે છેલ્લા 24 કલાકમાં 68.854 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,90.56.333 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.787 કેસ,મહારાષ્ટ્રમા 10.066 કેસ,તામિલનાડુમાં 6596 કેસ,આંધ્રપ્રદેશમાં 4684 કેસ, કર્ણાટકમાં 4436 કેસ, ઓરિસ્સામાં 3456 કેસ, આસામમાં 2728 કેસ,પશ્ચિમ બંગાળમાં 1925 કેસ, તેલંગાણામાં 1114 કેસ નોંધાયા છે