મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

કાશ્મીરમાં પરિવર્તનના પવનને કોઈ રોકી નહિ શકે : 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : અમિતભાઇ શાહ

ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે કાશ્મીરમાં યુવાનોને તક મળવી જોઈએ

શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે કાશ્મીરમાં યુવાનોને તક મળવી જોઈએ, તેથી ત્યાં સારૂં સીમાંકન પણ થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તો અમે તેનો કડકાઈથી ઉકેલ લાવીશું.

અમિતભાઈ  શાહે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકશે નહી. તેમણે કહ્યું, અઢી વર્ષ પછી હું જમ્મુ -કાશ્મીર આવ્યો છું અને સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ આનંદ અને હળવાશ અનુભવું છું. '

ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીરની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જો આ વસ્તીના મનમાં આશા જગાડવામાં આવે અને તેને વિકાસના કામો સાથે જોડવામાં આવે તો કાશ્મીરની શાંતિમાં ક્યારેય કોઈ વિક્ષેપ નહીં આવે. તેમણે કહ્યું, હું ખાતરી આપું છું કે જે પણ જમ્મુ -કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. વિકાસની જે યાત્રા અહીંથી શરૂ થઈ છે, તેને કોઈ રોકી શકશે નહીં.

(12:00 am IST)