મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

'જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય થયો સમાપ્ત : હવે વિકાસને કોઈ ખલેલ નહીં પહોંચાડી શકે અમિતભાઇ શાહ

અગાઉ 500 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકતા હતા, હવે લગભગ 2,000 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આજે ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સરહદથી થોડે દૂર ઝોરાવર ઓડિટોરિયમમાં યુવાનોને સંબોધન કર્યું હતું. જેમાં અમિત શાહે કહ્યુંકે, 'જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત, હવે કોઈ પણ વિકાસને ખલેલ પહોંચાડી શકશે નહીં. શાહે એમ પણ કહ્યુંકે, અહીંનો વિકાસ કોઈ નહીં રોકી શકે, જમ્મુ-કાશ્મીર પ્રધાનમંત્રી મોદીના દિલમાં વસે છે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અહીં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ આજે જમ્મુ આવ્યા છે એમ કહેવા માટે કે જમ્મુના લોકોને અન્યાય કરવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે તમારી સાથે કોઈ અન્યાય કરી શકે નહીં. અહીંથી શરૂ થઈ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યા છે તેઓ પરેશાન છે, પરંતુ વિકાસના યુગને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કહેવા માટે પાંચ પરંતુ માત્ર ચાર મેડિકલ કોલેજ હતી, પરંતુ આજે અહીં સાત નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ 500 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકતા હતા, હવે લગભગ 2,000 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકશે.

(5:06 pm IST)