મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર: બાલકૃષ્ણ દોશીને (મરણોપરાંત), સ્થાપત્ય પદ્મ વિભૂષણ અને 7 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત

હેમંત ચૌહાણ (કળા),ભાનુભાઈ ચિતારા (કળા),મહિપત કવિ (કળા),અરીઝ ખંભાતા (વેપાર-ઉદ્યોગ),હિરાબાઈ લોબી (સમાજસેવા), પ્રોફેસર મહેન્દ્ર પાલ (વિજ્ઞાન-ટેકનોલોજી) અને પરેશભાઈ રાઠવા (કળા) ને પદ્મશ્રી

નવી દિલ્હી :74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે દેશના સૌથી મોટા રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઇ ગઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે જે પૈકી બાલકૃષ્ણ દોશીને (મરણોપરાંત), સ્થાપત્ય પદ્મ વિભૂષણ થી એનાયત જ્યારે 7 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે.

પદ્મ વિભૂષણ

બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત), સ્થાપત્ય

હેમંત ચૌહાણ (કળા)

ભાનુભાઈ ચિતારા (કળા)

મહિપત કવિ (કળા)

અરીઝ ખંભાતા (વેપાર-ઉદ્યોગ)

હિરાબાઈ લોબી (સમાજસેવા)

પ્રોફેસર મહેન્દ્ર પાલ (વિજ્ઞાન-ટેકનોલોજી)

પરેશભાઈ રાઠવા (કળા)

(11:33 pm IST)