News of Friday, 25th June 2021
મહારાષ્ટ્રમાં ભાજપાનું શનિવારે ચક્કાજામનું એલાન
ચૂંટણીઓમાં ઓબીસી કવોટા જાળવવામાં સરકારની નિષ્ફળતાનો વિરોધ
મુંબઈઃ ભાજપાના મહારાષ્ટ્ર એકમે ગુરૂવારે જાહેર કર્યુ છે કે ઓબીસી કવોટાની રાજકીય અનામત જાળવવામાં મહાવિકાસ અઘાડી સરકારની કહેવાતી નિષ્ફળતા સામે તે રાજ્યભરમાં શનિવારે ચક્કાજામ દ્વારા વિરોધ પ્રગટ કરશે.
રાજ્ય ભાજપા વડા ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે એમવીએ સરકારની નિષ્ક્રીયતાના કારણે જ લોકલ ગવર્નીંગ બોડીમાં મરાઠા અનામત અને ઓબીસીની રાજકીય અનામતો નથી જાળવી શકાઈ. આના વિરોધમાં પક્ષના એક લાખ કાર્યકરો અને સીનીયર નેતાઓ વિરોધ પ્રદર્શિત કરીને ધરપકડ વહોરશે.
(1:57 pm IST)