મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કુહાડીથી હુમલો કરી સાસુ અને સાળીની હત્યા કરી પછી શબ ઉપર કર્યો રેપ

હરિયાણામાં ક્રુર અને અમાનવીય ઘટનાઃ પત્નિની પણ કરી હત્યા

પાનીપત, તા.૨૫: હરિયાણાના પાનીપતમાં ટ્રિપલ મર્ડરનો એક કેસ સામે આવ્યો છે. પણ આ કેસની જે હકીકતો બહાર આવી છે તે ખરેખરમાં ક્રૂર અને અમાનવીય છે. આ વિસ્તારમાં એક ઘરની ત્રણ મહિલાઓને ક્રૂર હત્યા કરવામાં આવી. અને તેમની મૃતદેહો સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોય તેવું પણ પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું. જે પર પોલીસે આગળ તપાસ શરૂ કરી.

 ત્રણ મહિલાઓને હત્યાની આ દ્યટના પછી ગુરુવારે ડીએસપી સતીશ વત્સે પ્રેસાવાર્તા કરીને ખુલાસો કર્યો કે આ ત્રણેય મહિલાઓની હત્યા કરનાર અન્ય કોઇ નહીં પણ મૃતક મધુનો પતિ નૂરહસન છે. અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે

 આરોપીએ અવૈધ સંબંધની શંકાના કારણે પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેણે આ હત્યાને છુપાવવા માટે પત્નીની શબને બાળી નાંખ્યુ અને તેના ચહેરા ખૂબ જ ખરાબ રીતે બગાડી પણ દીધો. મહિલાનો આ કંકાલ પોલીસને રેલવે ટ્રેક પાસે મળ્યો હતો.

 આરોપી એટલેથી ન અટકયો. નૂરહસને તે પછી પોતાની સાસુ અને ૧૮ વર્ષીય સાળી મનીષાની પણ કુહાડી મારીને હત્યા કરી લીધી. અને હત્યા પછી તેણે પોતાની સાળી અને સાસુના મૃતદેહ સાથે શારિરીક સંબંધ પણ બનાવ્યો.

સાઇકો કિલર નૂરહસને પોતાની સાસુની ઓળખ છુપાવવા માટે તેને બાળીને ગામની નહેરની પાસે ફેંકી દીધી. અને સાળીની લાશ પણ અન્ય એક નાળા પાસે ફેંકી દીધી. તેને એમ લાગ્યું કે ત્રણેય લાશોને અલગ અલગ જગ્યાએ ફેકવાથી પોલીસ તેને કદી નહીં પકડી શકે.

હાલ પોલીસે આ સાઇકો કિલરને સમાલાખાથી પકડી લીધો છે. અને તેને ૨૮ સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં મોકલ્યો છે. તમને જણાવી દઇએ કે નૂરહસન મૂળરૂપથી પટ્ટીકલ્યાણી ગામનો રહેવાસી છે. અને તેણે પોલીસને ખોટી રીતે દોરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે એક પછી એક મહિલાઓની બળેલી લાશો મળતા હરકતમાં આવી ગઇ હતી. અને તેનો સધન તપાસ કરીને આ આખી ઘટના સામે લાવી હતી.

(4:09 pm IST)