મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

આતંકવાદનો ફુંકાડો : કાશ્મીરનો આતંકવાદ મોંઘો સાબિત થઇ રહ્યો છે સુરક્ષા દળો માટે

નવી દિલ્હી : ભારતીય સેના સહિત ન્ય સુરક્ષા દળો માટે કાશ્મીરનો આતંકવાદ મોંઘો સાબિત થઇ રહ્યો છે જયારે ૩૦ વર્ષ દરમ્યાન કુલ ૭ર૦૦ સુરક્ષા બલ શહાદત મેળવી ચુકયા છે. જયારે ગેર સરકારી આંકડા બતાવે  કે ૧૦૦૦૦ થી વધારે સુરક્ષા કર્મી માર્યા ગયા છે.

આંકડાઓ અનુસાર ભારતીય સેના આ ૩૦ વર્ષના આતંકવાદના દોરમાં રાજયમાં આતંક વિરોધી અભિયાનોમાં લગભગ ૪ર૦૦ સૈનિકો ગુમાવી ચુકી છે. અને આમાં પ્રત્યેક રપ સૈનિકો પાછળ એક અકિારી પણ સામેલ છે.

 

(10:09 pm IST)